વડોદરા: સમા સાવલી રોડ પર આવેલી પિત્ઝા શોપમાં આગથી નાસભાગ મચી

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

New Update
  • વડોદરા બંસલ મોલમાં લાગી આગ

  • પિત્ઝા શોપમાં આગથી મચી દોડધામ

  • આગની ઘટનામાં બિલ્ડિંગના કાચ પણ તૂટ્યા

  • ફાયર બ્રિગેડે આગ પર ચલાવ્યો પાણી મારો

  • ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ 

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરા શહેરના સમા સાવલી રોડને અડીને આવેલ બંસલ મોલની પિત્ઝા શોપમાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનાને પગલે ભારે અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો,જોકે આગની ઘટનામાં પિત્ઝા શોપની ફાયર સિસ્ટમ બંધ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.જ્યારે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. 

વધુમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.સવારનો સમય હોવાથી મોટી જાનહાની ટળી હતી.ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી ગયા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.