વડોદરા: ગુજરાતના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મુરજાણીએ અંતિમ પત્ર લખીને કર્યો આપઘાત

આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો

New Update

વડોદરામાં આત્મહત્યાની ચકચારી ઘટના

કન્ઝ્યુમર એક્ટિવિસ્ટે પોતાના લમણે ગોળીમારી કર્યો આપઘાત

1330 શબ્દોમાં લખેલી સ્યુસાઇટ નોટ વોટ્સમાં કરી શેર

માનેલી દીકરી અને તેની માતાના ત્રાસથી ભર્યું અંતિમ પગલું

પોલીસ દ્વારા સ્યુસાઇટ નોટને આધારે શરૂ કરી તપાસ

વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ અને ધાર્મિક અગ્રણી પુરૂષોત્તમ મૂરજાણીએ શુક્રવારે પોતાના  બંગલામાં જ પોતાની જ રિવોલ્વોરથી ગોળી છોડીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.તેમણે અંતિમ પગલું ભરતા પહેલા અંતિમ પત્ર પણ લખ્યો હતો.

વડોદરા શહેરમાં લાંબા સમયથી અનેક ગ્રાહકોને ન્યાય અપાવનાર અને ગ્રાહક સુરક્ષાના એક્ટીવીસ્ટ પુરુષોત્તમ મુરજાણીએ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ચકચાર ઘટના બની છે.

જોકે આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અંતિમ પગલું ભરતા પહેલા તેમણે 1330 શબ્દોમાં સ્યુસાઇડ નોટ લખી હતી,જેમાં તેઓએ લખ્યું હતું કે, શહેરના ચકચારી કેસ જેમાં સી.એ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની માનેલી દીકરી અને તેની માતા દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેઓએ ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ સ્યુસાઇટ નોટમાં કર્યો છે.

આ ઘટના અંદાજીત રાતના સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે વાઘોડીયા રોડ સ્થિત નારાયણ ડુપ્લેક્ષ ખાતે તેમના નિવાસ સ્થાને બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સ્થળ તપાસ તેમજ સ્યુસાઇટ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.