વડોદરા: માંજલપુર સ્મશાનમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની સિરીંજો મળી, વિપક્ષ કોંગ્રેસે ભાજપને ઘેર્યુ

મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે.

New Update
વડોદરા: માંજલપુર સ્મશાનમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનની સિરીંજો મળી, વિપક્ષ કોંગ્રેસે ભાજપને ઘેર્યુ

વડોદરા કોર્પોરેશન હસ્તકના માંજલપુર સ્મશાનમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ, ઇન્જેકશનો તથા દારૂની ખાલી બોટલ મળી આવતા પાલિકાના વિપક્ષી નેતાએ બેદરકારી દાખવનાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી લોકોની સલામતી જળવાય તે માટે તમામ જાહેર સ્થળના સીસીટીવી મોનિટરિંગની માંગ કરી છે.

વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે. સ્મશાનગૃહોમાં કોઇ અસામાજીક પ્રવૃત્તિઓ ન થાય તે માટે શહેરના સ્મશાનોમાં ખાનગી સીકયુરીટી ઘ્વારા સીકયુરીટી ગાર્ડ મુકવામાં આવે છે. માહિતી મળ્યા મુજબ માંજલપુર સ્મશાન ગૃહમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ, ઇન્જેકશનો, સીરીન્જ તથા દારૂની બોટલો મળી આવી છે. જે આ સ્મશાનગૃહમાં કેટલાય સમયથી આ રીતની અસામાજીક પ્રવૃત્તિઓનુ દુષણ ચાલી રહયુ હોવાની સાબિતી આપે છે. સીકયુરીટી ગાર્ડની કામગીરી સ્માશાન ગૃહની દેખરેખ રાખવી કે કોઇ અસામાજીક પ્રવૃત્તિઓ ન થાય તે જોવાની હોય છે. પરંતુ, માંજલપુર સ્મશાન ગૃહની અંદરથી મોટા પ્રમાણમાં મળી આવેલ ડ્રગ્સ, ઇન્જેકશનો તથા દારૂની બોટલ મળવાથી સાબીત થાય છે કે આમા સીકયુરીટીએ ગંભીર બેદરકારી દાખવી છે. સરકારી જાહેર સ્થળોએ આ રીતની સીકયુરીટી લેપ્સના કારણે નાગરીકોની સુરક્ષા જોખમાય છે. જેથી તકેદારીના ભાગરૂપે માંજલપુર સ્મશાન સહીત તમામ સ્મશાન ગૃહોની અને કોર્પોરેશન સંચાલિત તમામ જાહેર સ્થળોની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોર્પોરેશન ઘ્વારા આ૫વામાં આવેલ સીકયુરીટીના કોન્ટ્રાકટને રદ્ કરી તેને કાયમી ઘોરણે બ્લેકલીસ્ટ કરવા સાથે આ બાબતમાં કસુરવાર સામે કાયદાકીય કાર્યવાહી કરી દંડાત્મક પગલાં ભરવામાં આવે. તેમજ તમામ જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી સીસીસી સેન્ટરમાં સીકયુરીટી મોનીટરીંગ કરવા અને કોર્પોરેશન હસ્તકના સ્મશાનગૃહોમાં 24 ક્લાક સીકયુરીટી વ્યવસ્થા થાય તેવી સુવિઘા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.