વડોદરા: સ્વતંત્રતા પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકીંગ, બૉમ્બ સ્ક્વોડ પણ જોડાય

સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી.

New Update

15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી, વડોદરા રેલવે સ્ટેશન પર ચેકીંગ હાથ ધરાયુ, બૉમ્બ સ્ક્વોડ પણ ચેકીંગમાં જોડાયું

રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ, એસ.ઓ.જી અને રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર એક અને રેલવે યાર્ડ તથા અન્ય સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે કોઈપણ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી...
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.