વડોદરા: સ્વતંત્રતા પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકીંગ, બૉમ્બ સ્ક્વોડ પણ જોડાય

સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી.

New Update

15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી, વડોદરા રેલવે સ્ટેશન પર ચેકીંગ હાથ ધરાયુ, બૉમ્બ સ્ક્વોડ પણ ચેકીંગમાં જોડાયું

રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ, એસ.ઓ.જી અને રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર એક અને રેલવે યાર્ડ તથા અન્ય સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે કોઈપણ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી...
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.