વડોદરા : રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહા સંમેલન જવા રવાના થયા...

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત છે

New Update
વડોદરા : રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહા સંમેલન જવા રવાના થયા...

પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિરોધમાં કરણી સેના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીની આગેવાનીમાં વડોદરા ખાતેથી 7 લક્ઝરી બસ ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટના રતનપર ખાતે મહા સંમેલનમાં જોડાવા રવાના થયા હતા.

કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત છે, અને રૂપાલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે વડોદરા ખાતેથી 7 જેટલી લક્ઝરી બસ ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો મહા સંમેલનમાં જોડાવા માટે રાજકોટ જવા રવાના થયા હતા, ત્યારે રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના વિરોધમાં યોજનાર ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા માટે સમગ્ર શહેર જિલ્લાભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો જોડાવાના છે. તા. 14મી એપ્રિલના રોજ સને 5 કલાકે ક્ષત્રિય મહા સંમેલનનું આયોજન રાજકોટ ખાતે થવાનું છે, ત્યારે કરણી સેના મધ્ય ગુજરાતના પ્રભારી રવિરાજસિંહ સોલંકીની આગેવાનીમાં વડોદરા ખાતેથી 7 જેટલી લક્ઝરી બસ ભરીને ક્ષત્રિય સમાજના આગેવાનો આ મહા સંમેલનમાં જોડાવા રાજકોટ જવા રવાના થયા છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.