વડોદરા: સાવલીમાં ગ્રીન પ્લાય કંપની સામે પ્રદૂષણના મુદ્દે સ્થાનિકોનો ઘેરાવો,જીપીસીબીએ શરૂ કરી તપાસ

વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.

New Update

સાવલીની ગ્રીન પ્લાય કંપની સામે લોકોમાં રોષ 

કંપની દૂષિત પાણી છોડતા હોવાનો ગામ લોકોનો આક્ષેપ

કંપનીનું દૂષિત પાણી સીમમાં છોડાતા ખેતીને ભારે નુકસાન

કંપનીનું દૂષિત પાણી પીવાથી પશુઓના થયા મોત

જીપીસીબી દ્વારા દુષિત પાણીના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા

વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.
વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા ખેતીના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો.અને પ્રદુષિત પાણી પીવાથી પશુઓના પણ મોત નિપજ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ગામના લોકોએ કંપનીનો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો,અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ અંગેની જાણ કરી હતી,GPCBના આધિકારીઓ દ્વારા દુષિત પાણીના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા,વધુમાં સ્થાનિક લોકોએ કંપની દ્વારા ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. 
Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.