વડોદરા : ફરી એકવાર ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું.

New Update

શહેરમાંથી હાલ ઓસરી ગયા છે પૂરના પાણી

અનેક પૂરગ્રસ્તોને કેશડોલની સહાય નથી મળી

વોર્ડ નં. 5ના સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

નગરસેવક અને ધારાસભ્યનો ઘેરાવો કરાયો

ભારે હોબાળો મચાવી સહાય ચૂકવવા માંગ કરી

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી ગયા હોવા છતાં અનેક અસરગ્રસ્તોને હજુ સુધી કેશડોલ સહાય મળી નથીત્યારે શહેરના વોર્ડ નં. 5ના સ્થાનિકોએ નગરસેવક નૈતિક શાહ અને ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

તાજેતરમાં જ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું. સરકાર દ્વારા અસરગ્રસ્તોને નિયમ મુજબ કેશડોલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વોર્ડ નં. 5ના વિવિધ વિસ્તારમાં આજદિન સુધી કેશડોલ સહાય ન મળતા લોકો રોષે ભરાય હોબાળો મચાવ્યો હતો. જેમાં વોર્ડ નં. 5ના નગરસેવક નૈતિક શાહ સર્વે માટે કિશનવાડી વિસ્તારમાં પહોચતા સ્થાનિકોએ તેઓનો ઘેરાવો કરી બળાપો ઠાલવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય મનીષા વકીલ પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. આ સાથે જ અમુક જ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેશહેરમાં પૂરની પરિસ્થિતી બાદ હવે સર્વે મામલે ભાજપના નેતાઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.