વડોદરા : નવાપુરામાં દબાણ હટાવવા પહોચેલી પાલિકાની ટીમ સાથે લોકોની રકઝક, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા

વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી.

New Update
  • નવાપુરાના મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ

  • દબાણમાં પહોચેલી પાલિકાની ટીમ સાથે લોકોની રકઝક

  • મારામારી થઈ હોવાની વાતો સામે આવતા પોલીસ દોડી

  • મહેબુબપુરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ખડકી દેવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાય

વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી. આ દરમિયાન પોલીસના ધાડેધાડા ખડકી દેવામાં આવતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાની ઘટના બાદ વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 4 દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છેત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબુબપુરા ખાતે પહોંચી હતીજ્યાં દબાણ દૂર કરતી વખતે સ્થાનિકોના ટોળા આવી ગયા હતાઅને પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી તેમજ ટપલીદાવ કર્યો હતો. બનાવની જાણ થતાં જ ઝોન-2ના ડીસીપી અભય સોનીઝોન-3ના ડીસીપી લીના પાટીલજોઇન્ટ સિપી મનોજ નિનામા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં લોકોના ટોળા વિખેરી દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેદબાણ દૂર કરવા પહોચેલી મનપાની ટીમ સાથે સ્થાનિકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.