વડોદરા : નવાપુરામાં દબાણ હટાવવા પહોચેલી પાલિકાની ટીમ સાથે લોકોની રકઝક, પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા

વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી.

New Update
  • નવાપુરાના મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ

  • દબાણમાં પહોચેલી પાલિકાની ટીમ સાથે લોકોની રકઝક

  • મારામારી થઈ હોવાની વાતો સામે આવતા પોલીસ દોડી

  • મહેબુબપુરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ખડકી દેવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાય

વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી. આ દરમિયાન પોલીસના ધાડેધાડા ખડકી દેવામાં આવતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાની ઘટના બાદ વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 4 દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છેત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબુબપુરા ખાતે પહોંચી હતીજ્યાં દબાણ દૂર કરતી વખતે સ્થાનિકોના ટોળા આવી ગયા હતાઅને પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી તેમજ ટપલીદાવ કર્યો હતો. બનાવની જાણ થતાં જ ઝોન-2ના ડીસીપી અભય સોનીઝોન-3ના ડીસીપી લીના પાટીલજોઇન્ટ સિપી મનોજ નિનામા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં લોકોના ટોળા વિખેરી દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેદબાણ દૂર કરવા પહોચેલી મનપાની ટીમ સાથે સ્થાનિકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.