વડોદરા: સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યાથી ચકચાર

વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલીનો  માહોલ છવાઈ ગયો હતો. 

New Update
  • વડોદરામાં અસામાજિક તત્વો બન્યા બેખૌફ

  • ભાજપના પૂર્વ કોર્પોરેટરનાપુત્ર પર જીવલેણ હુમલો

  • સયાજી હોસ્પિટલમાં આરોપીએતીક્ષ્ણહથિયારથી કર્યો હુમલો

  • પોલીસ જાપ્તામાં આવેલા આરોપીએ જ કરી હત્યા

  • આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યું?બન્યોતપાસનો વિષય

  • વાતાવરણવધુ તંગ બનતાપોલીસે ખડક્યો પોલીસ કાફલો

  • CCTVના આધારે પોલીસે શરૂકરી તપાસ

વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકનેમોતને ઘાટ ઉતારી દેતાભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.

વડોદરામાં રવિવારે રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર10 પાસે ઉભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ,મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા.

હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમારતેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતીઆ દરમિયાન પોલીસ હુમલાખોર બાબરખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવી પહોંચી હતી.સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઉભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી બાબરે તીક્ષ્ણ હથિયાર વડે તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસ જાપ્તામાં રહેલાઆરોપી બાબરનેહથિયાર કોણે આપ્યું તે બાબત પણ તપાસનો વિષય બની ગઈ હતી.સર્જાયેલી ઘટનાનેપગલે ભારેલા અગ્નિ જેવોમાહોલ બની ગયો હતો.જેનાકારણે પોલીસ દ્વારા સ્થિતિ વધુ વણસે નહીં તે માટે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

જ્યારે ઘટનાને પગલે કારેલીબાગ પોલીસ મથક ખાતે લોક ટોળા એકઠા થઇ ગયા હતા,અને ભારે હલ્લોમચાવ્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.