/connect-gujarat/media/post_banners/ab8462e45f82ed7274d7ec8d81f0b73b58568ce1a7867d50721d8a7d94dbb5ea.jpg)
વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા અને કાર્યવાહીની માંગ સાથે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
વડોદરાના કરજણ પાસે આવેલાં નારેશ્વર પાસે કંકોતરી આપવા જઇ રહેલાં ભરૂચ તાલુકાના અસુરીયા ગામના રહેવાસી પર રેતી ભરેલું ડમ્પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે.તેઓ તેમના સંબંધી સાથે એકટીવા લઇને કરજણ તાલુકામાં રહેતાં સંબંધીઓને લગ્નની કંકોતરી આપવા નીકળ્યાં હતાં દરમિયાન નારેશ્વર પાસે રંગ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ડમ્પરે પાછળથી ટકકર મારતાં તેમના પર ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા તેમનું મોત થયું હતું. આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તંત્ર રેતીમાફિયાઓ સામે કાર્યવાહી નહિ કરે તો ગુરૂવારથી નારેશ્વર ખાતે ધરણા કરવાની ચીમકી આપી છે. એક વર્ષ પહેલાં પણ નારેશ્વર રોડ પર ઝનોર ગામના બે લોકો સહિત 3 લોકોને ડમ્પરે કચડી નાંખ્યાં હતા ત્યારે કાર્યવાહી કરવા સાંસદ મનસુખ વસાવા દ્વારા માંગ કરવામાં આવી છે