વડોદરા : શ્રીજી પંડાલમાં નગરસેવકોની “પ્રવેશબંધી”, વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્તોનો અનોખો વિરોધ...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્તોએ શ્રીજી પંડાલમાં નગરસેવકોની પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે.

New Update

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્તોએ શ્રીજી પંડાલમાં નગરસેવકોની પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે.

એક તરફવડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી. તો બીજી તરફશહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છેત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના વોર્ડ નં. 3માં આવેલી વિશ્વકુંજ સોસાયટીના પૂર અસરગ્રસ્ત રહીશોએ ગણેશ મહોત્સવ દરમ્યાન તંત્ર વિરુદ્ધ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈ નાગરિકોમાં આજે પણ રોષ જોવા મળી રહ્યો છેત્યારે વિશ્વકુંજ સોસાયટીના શ્રીજી પંડાલમાં સ્થાનિક નગરસેવકોના પ્રવેશબંધીની થીમ આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ગણેશ પંડાલમાં વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિના ફોટાઓ મુકવામાં આવ્યા છે. પૂરની પરિસ્થિતિમાં તદ્દન પાસે જ રહેતા કાઉન્સિલર રૂપલબેન અને ડો. રાજેશ શાહ પણ મદદે ન આવ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીંધારાસભ્ય અને સાંસદો તો પછીની વાત છે. પરંતુ ચારેય ચાર કાઉન્સિલરો આ વિસ્તારમાં ફરક્યાં ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યુ હતું કેઅમારા બાળકોને ફૂડ પેકેટ તો નહીંપરંતુ દૂધ અને પાણી વગર પણ ટળવળવું પડ્યું હતું.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.