વડોદરા: રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મ પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી

વડોદરા ખાતે એસએસજી  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા.

New Update
  • દુષ્કર્મ પીડિતા છે સારવાર હેઠળ

  • શક્તિસિંહ ગોહિલે પરિવાર પ્રત્યે સાંત્વના કરી વ્યક્ત

  • બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક ગણાવી

  • ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી

  • એક વર્ષમાં 169 બાળકીઓ પર બળાત્કારની ઘટના બની

વડોદરા ખાતે એસએસજી  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી દુષ્કર્મ પીડિતાના પરિવાજનો ની મુલાકાતે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા.તેઓએ બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.

ઝઘડિયાના શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી પર અમાનુષી બળાત્કાર ગુજરાવાના કિસ્સામાં બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને તબીબો દ્વારા ખડેપગે રહીને તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવ્યા હતા અને તેઓએ એસએસજી હોસ્પિટલ ખાતે બાળકીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓએ ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કેઝઘડિયામાં બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે. બાળકીના પરિવાર સાથે મળ્યો બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને ડોકટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બાળકીની હાલત જોઈને એમ લાગે છે કે કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોય શકે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી.

આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છેરાજકારણ કરવાનો નહિ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એક વર્ષમાં 169 બાળકીઓ પર બળાત્કારની ઘટના બની છે. એનું કારણ એ છે કે ભાજપ દ્વારા અસામાજિક તત્વોને ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવે છે અને તેઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોંગ્રેસની સરકારમાં સીધા ગુનેગારોને પક્ષમાં લેવામાં નહોતા આવતા. ભાજપ આવા ગુનેગારોને સાથે  લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.