વડોદરા : હપ્તાના પૈસા પીયરમાંથી ન લાવતા પત્નીને પતિએ જ ઉતારી મોતને ઘાટ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિએ પોતાની ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

New Update

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિએ પોતાની ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિના હાથે જ પત્નીની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારમોઇનખાન પઠાણે તેની જ પત્ની નિશારબાનુને માથાના ભાગે લોખંડનો તવો ઝીંકી દઈ લોહીલુહાણ કરી મુકી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નિશારબાનુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ પતિ મોઇનખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે મોઇનખાન પઠાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પત્ની પર હુમલો કર્યા બાદ મોઇનખાન પઠાણ ઉત્તરપ્રદેશ તરફ ભાગી ગયો હતો. આ દરમ્યાન પત્ની નિશારબાનુ સારવાર દરમ્યાન મોતને ભેટી હતીત્યારે પત્નીનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં જ હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો. આ દરમ્યાન આરોપી જવાહરનગર બોરીયા તળાવ વિસ્તારમાં ફરતો હોવાની બાતમી મળતા પોલીસે હત્યારા પતિ મોઇનખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી વારંવાર પત્ની પાસે દહેજની માંગણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત હપ્તેથી લીધેલી બાઈકના હપ્તાના પૈસા પત્ની પીયરમાંથી ન લાવતા મારઝુડ કરી હતી.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.