વડોદરા : હપ્તાના પૈસા પીયરમાંથી ન લાવતા પત્નીને પતિએ જ ઉતારી મોતને ઘાટ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિએ પોતાની ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

New Update

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિએ પોતાની ધર્મ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પતિના હાથે જ પત્નીની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસારમોઇનખાન પઠાણે તેની જ પત્ની નિશારબાનુને માથાના ભાગે લોખંડનો તવો ઝીંકી દઈ લોહીલુહાણ કરી મુકી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નિશારબાનુને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ પતિ મોઇનખાન પઠાણ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે મોઇનખાન પઠાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પત્ની પર હુમલો કર્યા બાદ મોઇનખાન પઠાણ ઉત્તરપ્રદેશ તરફ ભાગી ગયો હતો. આ દરમ્યાન પત્ની નિશારબાનુ સારવાર દરમ્યાન મોતને ભેટી હતીત્યારે પત્નીનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં જ હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો. આ દરમ્યાન આરોપી જવાહરનગર બોરીયા તળાવ વિસ્તારમાં ફરતો હોવાની બાતમી મળતા પોલીસે હત્યારા પતિ મોઇનખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી વારંવાર પત્ની પાસે દહેજની માંગણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત હપ્તેથી લીધેલી બાઈકના હપ્તાના પૈસા પત્ની પીયરમાંથી ન લાવતા મારઝુડ કરી હતી.

 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.