વડોદરા: કરજણ મામલતદાર કચેરીમાં અચાનક મધમાખી ઉડતા સર્જાઈ નાસભાગ

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં અચાનક મધમાખી ઉડતા ભાગદોડ મચી ગઈ હતી.મધપૂડા માંથી એકાએક મધમાખી ઉડતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી.

New Update
  • કરજણ મામલતદાર કચેરીનો બનાવ 

  • મધમાખીનું ઝુંડ ઉડતા સર્જાઈ અફરાતફરી 

  • કચેરીમાં લોકોમાં ભયનો ભયનો માહોલ સર્જાયો 

  • ચાર થી પાંચ લોકો થયા ઘાયલ 

  • 108 દ્વારા ઇજાગ્રસ્તોની કરાઈ સારવાર  

વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવા સદનમાં અચાનક મધમાખી ઉડતા ભાગદોડ મચી ગઈ હતી.મધપૂડા માંથી એકાએક મધમાખી ઉડતા ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી. જેના કારણે લોકો ઓફિસમાં દરવાજા બંધ કરીને પુરાઈ ગયા હતા.

વડોદરા જિલ્લાના કરજણ ખાતે મધમાખીના આતંકનો અનેક વ્યક્તિઓ ભોગ બન્યા હતા.વડોદરાના કરજણ ખાતે સેવા સદનની બિલ્ડીંગમાં મધમાખીએ પોતાનો મધપૂડો બનાવ્યો હતો.જ્યાંથી એકાએક મધમાખીઓ ઉડતા તેનાથી બચવા નાસભાગ થઈ ગઈ હતી.જોકે,મધમાખીઓનો આતંક વધતા કર્મચારીઓએ કચેરીના દરવાજા બંધ કરી પોતે અંદર પુરાઈ ગયા હતા.સમગ્ર નાસભાગ દરમિયાન ત્રણથી ચાર લોકોને મધમાખીએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થયા હતા.ઘણા લોકો મધમાખીના ડંખથી બચવા માટે માથે પ્લાસ્ટિક તેમજ ન્યૂઝ પેપર,રૂમાલ ઓઢીને નીકળતા જોવા મળ્યા હતા.

સમગ્ર ઘટના દરમિયાન તાત્કાલિક ધોરણે 108 બોલાવવામાં આવી હતી.108 આવ્યા બાદ ઘાયલ દર્દીઓની સારવાર અંગે જરૂરી કાર્યવાહી કરી મધમાખીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે,મધમાખીના આતંકના કારણે ઘણા કલાકો સુધી કચેરીનું કામકાજ બંધ રહ્યું હતું.તેમજ ત્યાં હાજર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.