વડોદરા : ટુ-વ્હીલર વાહનનો શોરૂમ ભડકે બળ્યો, 250 વાહનો બળીને ખાખ થઈ જતાં રૂ. 1.50 કરોડનું નુકશાન...

વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી.

New Update

વડોદરા શહેરના પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના શોરૂમમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ 10 ગાડીઓ સાથે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 3 કલાકની ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાય છે. તો બીજી તરફલોકો વરસાદના કારણે થયેલ નુકશાનમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે. તેવામાં વડોદરાના કરોડરજ્જુ સમાન વ્યાપારને પણ વરસાદના કારણે મોટો ફટકો પડ્યો છે. ગત મોડી રાત્રે વડોદરાના સિંધવાઇ માતા રોડ ઉપર પ્રતાપનગરમાં આવેલા TVS કંપનીના દ્વિચક્રી વાહનના શોરૂમમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.

બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની દાંડિયા બજારજીઆઇડીસી, TP-13 સહિત MGVCLની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. જોકેઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શોરૂમમાં રહેલી 250 જેટલી બાઈકઇવી બાઈક અને મોપેડ બળીને ખાક થયા હતા. ફાયરના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે3 કલાકથી પણ વધુની ભારે જહમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ શોરૂમમાં લાગેલી આગના કારણે કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.