વડોદરા: નાગરવાડામાં અકસ્માત બાદ હિંસક અથડામણ,વાહનોમાં તોડફોડ થતા પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો

નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું.

New Update
વડોદરા: નાગરવાડામાં અકસ્માત બાદ હિંસક અથડામણ,વાહનોમાં તોડફોડ થતા પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું.પોલીસે બંને તરફના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં નાગરવાડાના નવી ધરતી ગોળવાડમાં ગત રાત્રીના 11 વાગ્યાની આસપાસ દિલીપ મકવાણા અને તેજસ રાણા નામના બે બાઇક સવારોનો સામાન્ય અકસ્માત થયો હતો.જે અકસ્માત બાદ બંને પક્ષો સામસામે લડી રહ્યા હતા. આ દરમિયાન એક બીજાનું ઉપરાણું લેવા માટે વિસ્તારમાંથી અન્ય કેટલાક લોકો ધસી આવ્યા હતા અને અકસ્માત સ્થળે ટોળા જામી ગયા હતા.સામાન્ય અકસ્માતના કિસ્સામાં બંને પક્ષોના ટોળાએ નજીકમાં પાર્ક કરેલા વાહનોની તોડફોડ મચાવી મૂકી હતી.જ્યારે નજીકમાં રહેતા કેટલાક લોકોને ઘરમાં જઈને પણ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા કારેલીબાગ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.DCP સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા બાદ પોલીસે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.જ્યારે જૂથ અથડામણમાં કારેલીબાગ પોલીસે ગુન્હો નોંધીને 5 જેટલા શખ્સોની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી.જ્યારે અન્ય તોફાની તત્વોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.