વડોદરા:યુવાન બન્યો ડિજિટલ એરેસ્ટનો શિકાર,સાયબર માફિયાઓએ 1.65 લાખ રૂપિયા પડાવ્યા

સાયબર માફિયાઓએ સિલસિલાબધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું,અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

New Update
  • વડોદરામાં યુવાન બન્યો ડિજિટલ એરેસ્ટનો ભોગ

  • મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાના નામે આવ્યો કોલ

  • યુવાનને 34 કલાક સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ રાખ્યો

  • સુપ્રીમ કોર્ટના જજના નામે ધાકધમકી આપી રૂપિયા પડાવ્યા

  • 1.65 લાખ ટ્રાન્સફર કર્યા બાદ કોલ રી-કનેક્ટ ન થયો 

  • આખરે યુવાનને પોતે કોઈ ફ્રોડનો ભોગ બન્યો હોવાનો થયો અહેસાસ

  • સમગ્ર ઘટના અંગે ભોગ બનનારે નોંધાવી પોલીસ ફરિયાદ 

વડોદરાના એક યુવકને સાયબર માફિયાઓએ સતત 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સુપ્રીમ કોર્ટના જજ અને પોલીસની ધમકીઓ આપીને 1.65 લાખ રૂપિયા પડાવ્યા હતા.મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધાકધમકી આપવામાં આવી હતી.

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા કેતન સાવંતને 3 નવેમ્બરના રોજ બપોરે 12 કલાકે એક કોલ આવ્યો હતો.અને કહેવામાં આવ્યું હતું કે તમારો કોલ બે કલાકમાં બંધ થઈ જશે.કેતન સાવંતની નોકરી છૂટી ગઈ હોવાથી તેઓને કંપનીઓમાંથીHRના કોલ આવતો હોવાથી કોલ બંધ થઈ જવાનું કહેતા તેઓ ટેન્શનમાં આવી ગયો હતો.

તેથી તેમને કોલ પર કહ્યા મુજબ તેઓએ સૂચનાઓનું પાલન કરતા હતા.અને ત્યારબાદ સાયબર માફિયાઓએ સિલસિલાબધ કેતન સાવંતને ધમકાવવાનું શરૂ કર્યું હતું,અને 250 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેઓનું નામ હોવાનું જણાવીને પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

તેથી તેઓ બદનામીના ડરથી સાયબર માફિયા કહેતા ગયા તે રીતે તેઓ તેમની સૂચનાઓનું પાલન કરતા હતા,અને પોતાના બેંક એકાઉન્ટમાંથીPPFના નાણાં ઉપાડીને કેતન સાવંતે સાયબર માફિયાઓને ટ્રાન્સફર કર્યા હતા.

જોકે ત્યારબાદ કેતન સાવંત કોલ રીક્નેકટ કરવા જતા કોલ લાગી શક્યો નહોતો.તેથી તેઓએ કોઈ ફ્રોડનો ભોગ બન્યા હોવાનો અણસાર તેમને આવ્યો હતો.સાયબર માફિયાઓએ 34 કલાક સુધી કેતન સાવંતને ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.

વધુમાં આ ઘટનામાં સાયબર માફિયાઓએ તેઓને નોટરી કરેલા ડોક્યુમેન્ટ સહિતના પેપર પણ બતાવ્યા હતા,અને સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તેમ જણાવી મામલો પતાવવા માટેની બાંહેધરી આપી હતી,તે મુજબ કોર્ટના જજ દ્વારા પણ કેતન સાવંતને કેસની પતાવટ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું,અને એમ નહીં કરે તો પોલીસ અરેસ્ટ કરશે અને કસ્ટડીમાં રેહવું પડશે તેવી ધમકી આપી હતી.

ત્યાર બાદ તેઓએPPF ના નાણાં ઉપાડીને સાયબર માફિયાઓને ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યારબાદ સાયબર માફિયાઓનો કોન્ટેક્ટ થઈ શક્યો નહતો.તેથી તેઓએ પોતાના પરિચિત નીતિનભાઈની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Latest Stories
    Read the Next Article

    વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

    નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

    New Update
    • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

    • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

    • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

    • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

    • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

    વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

    વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

    નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

    Latest Stories