/connect-gujarat/media/media_files/2025/02/08/STvVED26v9Y92RcFR8Gx.jpg)
અમેરિકા ટૂંક સમયમાં 487 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની તૈયારીમાં છે. એ દરમિયાન સરકારે ભારતીયો સાથે દુર્વ્યવહાર થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487 વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશમંત્રી (EAM)એ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે વિદેશમંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે, જોકે ડિપોર્ટ કરાયેલા સ્થળાંતરકારો સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર છે, જે અમે યુએસ અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.