જો સિંધુ જળ સંધિનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે:પાકિસ્તાન વિદેશ મંત્રી

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે એક નિવેદન આપ્યું કે જો સિંધુ જળ સંધિનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે. ડારે કહ્યું,પાણીનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે તો તે યુદ્ધ સમાન ગણાશે

New Update
Ishaq Dar

ભારત પાકિસ્તાન તણાવ અને પછી યુદ્ધવિરામ બાદપાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે એક નિવેદન આપ્યું કે જો સિંધુ જળ સંધિનો ઉકેલ નહીં આવે તો યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે.

યુદ્ધવિરામ અને તણાવ ઓછો થયા પછી પહેલી વારડાર સોમવાર 12 મેના રોજ અમેરિકન ટીવી ચેનલ CNN ને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. ઇન્ટરવ્યુ દરમિયાનવિદેશ મંત્રી ડારે કહ્યું,પાણીનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે તો તે યુદ્ધ સમાન ગણાશે. અને પહેલાથી જ સંમત થયેલ યુદ્ધવિરામ જોખમમાં મુકાઈ શકે છે. તેમણે કહ્યું કે ભારતે 7 મેના રોજ તેમના પર હુમલો કર્યો હતોત્યારબાદ પાકિસ્તાન પાસે પણ સ્વરક્ષામાં હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ડારે એમ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલો કરવાનો વિચાર કર્યો ન હતો.

ભલે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ હોય. પરંતુ આ અંગેની ચર્ચા હજુ પૂર્ણ થઈ નથી. અમને હજુ પણ આશા છે કે બીજી બાજુ સમજદારીથી કામ લેશે. ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ભારતીય કે પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે કોઈ સીધો સંપર્ક થયો નથી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ તેમને સંદેશ આપ્યો કે ભારત લડાઈ રોકવા માટે તૈયાર છે. 

અન્ય પાકિસ્તાની મંત્રીઓની જેમડારે પણ પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું, "અમે તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરીએ છીએ." તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પણ આતંકવાદ સામે લડવાના પાકિસ્તાનના પ્રયાસોનું સમર્થન કરે છે.