Google, Boeing અને Amazon ના CEO PM ને મળ્યા, સુંદર પિચાઈએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયા માટે મોદીનું વિઝન સમય કરતાં આગળ..!

પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે

New Update
Google, Boeing અને Amazon ના CEO PM ને મળ્યા, સુંદર પિચાઈએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયા માટે મોદીનું વિઝન સમય કરતાં આગળ..!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુએસ મુલાકાતના છેલ્લા દિવસે ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ અને એમેઝોનના સીઈઓ એન્ડ્રુ જેસી અને બોઈંગના સીઈઓ ડેવિડ એલ કેલહૌન સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયાન પિચાઈએ કહ્યું કે પીએમ મોદીના વિઝનને અનુરૂપ Google ભારતના ડિજીટાઈઝેશન ફંડમાં USD 10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે.

પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાન સાથે શેર કર્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં US$ 10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. ગિફ્ટ સિટી ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરતાં આજે અમે ઉત્સાહિત છીએ.

વડાપ્રધાન મોદીને મળ્યા બાદ પિચાઈએ કહ્યું કે, "ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેમના સમય કરતા આગળ છે અને હું તેને અન્ય દેશો માટે બ્લુ પ્રિન્ટ તરીકે જોઉં છું."

CEO સુંદર પિચાઈ 2015માં કંપનીના CEO બન્યા હતા. સીઈઓ તરીકે તેમની નિમણૂક પર પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Read the Next Article

ઓપરેશન સિંધુ : ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા, ઈરાનથી 110 વિદ્યાર્થીઓ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે.

New Update
iran

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું. આ બધા વિદ્યાર્થીઓ ઈરાનના ઉર્મિયાથી પાછા ફર્યા છે. બધા વિદ્યાર્થીઓ ઉર્મિયા યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આશા વ્યક્ત કરી કે, પરિસ્થિતિમાં સુધારો થશે અને તેમનો અભ્યાસ ફરી શરૂ થશે.

વાસ્તવમાં યુદ્ધગ્રસ્ત ઈરાનથી 100 વિદ્યાર્થીઓને આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા. આ પછી ગુરુવારે વહેલી સવારે તેમની ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે બોમ્બમારો ચાલુ છે. ઈરાન પર સતત મિસાઈલોથી હુમલો થઈ રહ્યો છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને તેહરાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ 'ઓપરેશન સિંધુ' હેઠળ મંગળવારે 110 વિદ્યાર્થીઓએ આર્મેનિયાની સરહદ પાર કરી હતી.

Latest Stories