શાહજહાંપુર અકસ્માત : અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 13 લોકોનાં મોત, પાંચની હાલત ગંભીર

શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.

New Update
શાહજહાંપુર અકસ્માત : અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 13 લોકોનાં મોત, પાંચની હાલત ગંભીર

શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. ગારા નદીના પુલ પરથી ટ્રેક્ટર-ટ્રોલી નીચે પડતાં 13 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને સરકારી મેડિકલ કોલેજ શાહજહાંપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો દાદરૌલ વિસ્તારના સુનૌરા ગામના રહેવાસી હતા. શનિવારે ટ્રેક્ટર-ટ્રોલીમાં બેસીને ગરરા નદીમાંથી પાણી લેવા ગયા હતા. આ દરમિયાન તે અકસ્માતનો બનાવ બન્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં ગારા નદીમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. દિવંગત આત્માની શાંતિની કામના કરતા મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.