અંકલેશ્વર: રેશનિંગના જથ્થાના કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા અપાયું આવેદન
BY Connect Gujarat18 Oct 2019 9:08 AM GMT
X
Connect Gujarat18 Oct 2019 9:08 AM GMT
અંકલેશ્વરના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગના જથ્થાના કાળબજાર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે આમ આદમી પાર્ટી આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેરના સરકારી અનાજના ગોડાઉનમાંથી શહેર અને તાલુકામાં દિનદયાળ ઉપાધ્યાય રેશનિંગ દુકાનોને પહોંચાડવામાં આવે છે. પરંતુ કર્મચારીઓ ઉપલા અધિકારીઓની ઘાક વિના બેરોકટોક કાળા બજાર કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા અંકલેશ્વર નજીકથી સરકારી અનાજનો જથ્થો પકડી રાજકીય આગેવાએ તોડ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Next Story