અંકલેશ્વરઃ ને.હા.8 નજીક અંસાર માર્કેટમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ

New Update
અંકલેશ્વરઃ ને.હા.8 નજીક અંસાર માર્કેટમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે- 8ને અડીને આવેલા અંસાર માર્કેટ ખાતે આવેલા મહાવીર નગરના પ્લાસ્ટીકના ગોડાઉનમાં આગ બપોરનાં સમયે એકાએક આગ લાગી હતી. આગના કારણે નજીકમાં આવેલાં અન્ય ગોડાઉન સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. તો ભીષણ આગને કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા હતા.

publive-image

આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજી જાણી શકાયું નથી.

publive-image

Also Read: વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત થતાં ટોળું વિફર્યું, JCB સહિત 10 વાહનોમાં ચાંપી આગ

Latest Stories