અંકલેશ્વરનાં પીરામણ ગામે ઘાસનાં જથ્થામાં આગ થી દોડધામ
BY Connect Gujarat18 Jan 2018 11:57 AM GMT
X
Connect Gujarat18 Jan 2018 11:57 AM GMT
અંકલેશ્વરનાં પીરામણ ગામે પશુઓ માટે રાખવામાં આવેલા ઘાસનાં જથ્થામાં આગ થી દોડધામ મચી ગઈ હતી. 6000 થી વધુ ઘાસનાં પૂળા ખેડૂત દ્વારા મૂંગા પશુ માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે તારીખ 17મીની મોડી રાત્રીએ ઘાસનાં 6000 પૂળામાં કોઈક કારણસર આગ લાગી હતી. ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓ માટે મૂકવામાં આવેલા ઘાસનાં જથ્થામાં આગ લાગી હતી.
ઘટના અંગેની જાણ નોટીફાઈડ એરિયાનાં ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.
જોકે આગમાં ઘાસનો જથ્થો બાળીને ખાખ થઇ ગયો હતો. આગ કયા કારણસર લાગી છે તે અંગે ખેડૂત ઇકબાલભાઈ અહેમદભાઈ ઉનીયા દ્વારા પોલીસ મથકમાં અરજીરૂપી ફરિયાદ દર્જ કરાવી આપી છે.
Next Story