આમ આદમી પાર્ટીએ પણ નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે વિરોધમાં ઝંપલાવ્યુ
BY Connect Gujarat20 Feb 2017 12:31 PM GMT
X
Connect Gujarat20 Feb 2017 12:31 PM GMT
ગુજરાત રાજ્ય સહિત દેશભરના રાજકારણમાં ખળભળાટ મચાવનાર નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદેર્શન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ પોતાનો સુર રેલાવ્યો છે.
રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના હુનમાન મઢ્ઢી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આમ આદમી પાર્ટીના કાર્યકરો મુખ્યપ્રધાનના રાજકોટ સ્થિત ઘર પાસે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી. નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
Next Story