આમોદઃ નજીવા ઝઘડામાં યુવાને કરી આધેડની હત્યા, પોલીસ તપાસ શરૂ

આમોદઃ નજીવા ઝઘડામાં યુવાને કરી આધેડની હત્યા, પોલીસ તપાસ શરૂ
New Update

યુવતી સાથે થયેલા નજીવા ઝઘડાવનું ઉપરાણું લઈ યુવાને યુવતીનાં પિતાની હત્યા કરી

આમોદ તાલુકાના રાણીપુરા ગામે ગતરોજ નજીવી બાબતે ફળિયાનાં જ યુવાને લાકડાના ફટકા મારી આધેડની હત્યા કરી નાંખી હતી. ઘટના સંદર્ભે આમોદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આમોદ તાલુકામાં આવેલા રાણીપુરા ગામે રહેતા જયંતિ વિઠ્ઠલ વસાવાની દીકરી જ્યોત્સના અને જમાઈ કમલેશ વસાવા વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી તઈ હતી. તે વખતે સંજય ત્યાંથી પસાર થતો હતો. તેને એમ લાગ્યું કે જ્યોત્સના મને બોલે છે. શંકાના આધારે સંજયે જ્યોત્સના સાથે ઝઘડો કર્યો હતો.

આ સમયે દોડી આવેલા જ્યોત્સનાના પિતા જયંતિ વસાવાએ સંજયને ગાળો નહીં બોલવાનું કહેવા જતાં સંજય અને જયંતિ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં ગત રાત્રે સંજય વસાવાએ જયંતિ વિઠ્ઠલ વસાવાને માથાના ભાગે લાકડાનો સપાટો મારી દેતાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે જયંતિ વસાવાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જે બાબતની જાણ આમોદ પોલીસને કરવામાં આવતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકી આપી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

#Connect Gujarat #Amod #murder #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article