/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/24212812/doctors1593746521945-e1600963110938.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1408 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 14 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1510 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,28,949 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 3384 થયો છે.
રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
ગુજરાતમાં આજે 1408 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 156, રાજકોટ કોર્પોરેશનમમાં 102, સુરતમાં 102, જામનગર કોર્પોરેશનમાં 91, વડોદરા કોર્પોરેશનમાં 91, મહેસાણામાં 49, રાજકોટમા 45, બનાસકાંઠામાં 44, વડોદરામા 42, કચ્છમાં 33, પાટણમાં 33, અમરેલીમાં 28, પંચમહાલમાં 28, અમદાવાદમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 27, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચ અને ગાંધીનગરમાં 23-23 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં હાલ 16,354 એક્ટિવ કેસ છે, જ્યારે 1,09,211 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,265 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં આજે કુલ 1510 દર્દી સાજા થયા હતા અને 61,904 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 40,48,274 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.69 ટકા છે.