/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/07222649/6.jpg)
ગુજરાત રાજ્યમાં આજે કોરોના વાયરસના 1311 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 9 દર્દીના મોત થાય છે. રાજ્યમાં આજે 1414 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,46,673 પર પહોંચી છે.અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3531 થયો છે.
રાજ્યમાં આજે 1311 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 181, અમદાવાદ કોર્પોરેશનમાં 173, સુરતમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 80, જામનગર કોર્પોરેશનમાં 65, મહેસાણા 53, રાજકોટ 48, વડોદરા 43, અમરેલી 33, બનાસકાંઠામાં 33, જામનગરમાં 28, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં 27-27 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે 9 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, મહેસાણામાં 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 , દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ 16,485 એક્ટિવ કેસ છે, જ્યારે 1,26,657 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,399 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે કુલ 1414 દર્દી સાજા થયા હતા અને 51,385 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 48,06,040 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.35 ટકા છે.