કોવિદ-19 : રાજ્યમાં આજે 1372 નવા કેસ નોધાયા,1289 દર્દીઓ થયા સાજા

New Update
કોવિદ-19 :  રાજ્યમાં આજે 1372 નવા કેસ નોધાયા,1289 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1372 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 15 દર્દીઓના મોત થયા છે. જ્યારે 1289 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતની સંખ્યા 1,27,541 પર પહોચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3370 થયો છે.

રાજ્યમાં આજે 1372 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં 160,  સુરતમાં 111, જામનગર કોર્પોરેશમાં 84, રાજકોટ કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનાં 93, બનાસકાંઠામાં 51, મહેસાણામાં 45, વડોદરામાં 41, રાજકોટમાં 33, અમરેલી, કચ્છ અને પંચમહાલમાં 27-27, મોરબીમાં 26, અમદાવાદમાં 25, ભરૂચ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 22-22 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 15 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1  દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં હાલ 16,470  એક્ટિવ કેસ છે, જ્યારે 1,07,701 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,384 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં સાજા થવાનો દર 84.44 ટકા છે.


Latest Stories