ચાર મહિના માટે નહિ થાય ગુજરાત માં સિંહ દર્શન
BY Connect Gujarat15 Jun 2016 11:47 AM GMT
X
Connect Gujarat15 Jun 2016 11:47 AM GMT
ગુજરાત નું ગીર અભ્યારણ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસાના સમયે ગીર અભ્યારણ બંધ કરવામાં આવે છે. કારણ કે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે આ સમય સંવનન માટેનો છે. બીજું એક કારણ આ પણ છે કે હમેસા સુખો જંગલ પસંદ કરતા સિંહ વરસાદ અને વરસાદી મછરો થી ત્રસ્ત થઇ હિંસક પણ બની જાય છે.
આ સમય બાદ સિંહની સંખ્યામાં સારો વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. દર વર્ષે આ સમય દરમિયાન પુખ્ત વયની સિંહણો સંવનન કરે છે. ત્યારબાદ ગર્ભધારણ કરે છે. એક સિંહણ સરેરાશ 2-3 સિંહબાળને જન્મ આપે છે અને જન્મેલા બચ્ચામાંથી ત્રીજા ભાગના સિંહબાળ જીવતા રહે છે.
ગીર અભ્યારણ અધિકારીઓ એ મીડિયાને આપેલી માહિતી અનુસાર વન્ય પ્રાણીઓની સંવનન ક્રિયામાં કોઇ ખલેલ ન પહોંચે માટે દર વર્ષે થોડો સમય અભ્યારણ બંધ રાખવામાં આવે છે.
Next Story