જમ્મુ કાશ્મીર : પુલવામામાં સેના પર થયો આતંકી હુમલો, નવ જવાન ઈજાગ્રસ્ત
BY Connect Gujarat17 Jun 2019 5:30 PM GMT
X
Connect Gujarat17 Jun 2019 5:30 PM GMT
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર સેના પર આતંકી હુમલો છે. અહીં આતંકીઓએ આર્મીની 44 રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવતાં આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. આ હુમલામાં સેનાનાં નવ જવાન ઈજાગ્રસ્ત થયા છે. તો એક નાગરિકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ હુમલો પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર કરવામાં આવ્યો હતો. આતંકી હુમલા બાદ સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં એક દિવસ પહેલાં જ આઈઈડી બ્લાસ્ટનું એલર્ટ જાહેર કરાયું હતું. જે બાદ સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાને જ આ હુમલાનું એલર્ટ ભારત અને અમેરિકાને આપ્યું હતું. સુત્રોનું કહેવું છે કે, ઝાકિર મૂસાની હત્યાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરાયો છે.
Next Story