દાહોદ : અંધશ્રદ્ધામાં પરિવારના મોભીએ 1માસના પૌત્રના 7 ટુકડા કરી જમીનમાં ડાટયા, પોલીસે શરૂ કરી તપાસ

New Update
દાહોદ : અંધશ્રદ્ધામાં પરિવારના મોભીએ 1માસના પૌત્રના 7 ટુકડા કરી જમીનમાં ડાટયા, પોલીસે શરૂ કરી તપાસ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે મેડા ફળિયામાં રહેતા દાદા પોતાના એક માસના બાળકને મારી ને ટુકડા કરી ગામની સીમમાં દાટી દેતા દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

publive-image

દાહોદ જિલ્લામાં આવેલ ધાનપુર તાલુકામાં આવેલા પીપેરો ગામમાં મેડા ફળિયામાં રહેતા એક દંપતીને ત્યાં એક માસ અગાઉ એક બાળકનો જન્મ થયેલ તે બાળકને દાદાએ જોતાં દાદાને એવું લાગ્યુ હતું કે પોતાની પુત્ર વધુ ને જુમડું પેદા થયું છે. અને આખા પરિવારને ખાઈ જશે એવી અંધશ્રદ્ધાને માં વિશ્વાસ રાખી ગત રાત્રીના બાળકને મારી નાખી બાળકના 7 ટુકડા કરીને નજીક નાં લુખડીયાની સીમમાં દાટી દેતા સ્થાનિક ગ્રામ જનોમાંથી પોલીસે જાણ કરતા આને પોલીસને ચોક્ક્સ માહિતી મળતા પોલીસે બાળકને મુર્તદેહને બહાર કાઢીને પીએમ અર્થે ધાનપુર સરકારી હોસ્પિટલમાંમાં મોકલી આપ્યો હતો. એફએસએલ બોલાવી ને દાદા અને પરિવારનાં સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories