પીએમ મોદીએ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગોવાનાં સીએમ પર્રિકરનાં ખબર અંતર પૂછ્યા
BY Connect Gujarat19 Feb 2018 12:53 PM GMT
X
Connect Gujarat19 Feb 2018 12:53 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરની ખબર પૂછવા માટે લીલાવતી હોસ્પિટલ ગયા હતા.સીએમ પર્રિકરને જઠરની બીમારીની સારવાર માટે 15 ફેબ્રુઆરીએ મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પર્રિકરને બુધવારે રાતે પેટમાં દુખાવાની ફરિયાદ બાદ રાજ્યની ગોવા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે એમને મુંબઈ લીલાવતી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
Next Story