ભરૂચના ચાવજ પાસે એસટી બસમાં લાગી આગ,મુસાફરોનો આબાદ બચાવ
BY Connect Gujarat4 April 2017 5:19 AM GMT
X
Connect Gujarat4 April 2017 5:19 AM GMT
ભરૂચના ચાવજ ગામ પાસે અચાનક એસટી બસમાં આગ લાગતા મુસાફરો ના જીવ તાળવે ચોંટ્યા હતા.
જાણવા મળતી વિગતો અનુસાર એસટી બસ ચાવજ પાસે થી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક બસમાં આગ લાગી ગઈ હતી. બસના ચાલક અને કંડકટરની સમય સુચકતાના પરિણામે બસમાં સવાર મુસાફરો બસ માંથી સુરક્ષિત બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો હતો.
આગમાં બસ સંપુર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, એસટી બસમાં આગના બનાવો વધતા મુસાફરો અજાણ્યા ડર હેઠળ મુસાફરી કરી રહયા હોવાની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે.
Next Story