ભારતીય ક્રિકેટ ટીમ માટે દક્ષિણ આફ્રિકા સામે જીતવુ આવશ્યક
BY Connect Gujarat11 Jun 2017 8:10 AM GMT
X
Connect Gujarat11 Jun 2017 8:10 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાખરીનો જંગ ખેલાશે,કારણ કે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખુબજ આવશ્યક છે.
ઇંગ્લેન્ડમાં રમાય રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની શ્રીલંકા સામે હાર બાદ દક્ષિણ આફ્રિકા સામે મેચ રમાશે.હાલમાં ભારતના અને દક્ષિણ આફ્રિકા એમ બંને ટીમોના પોઇન્ટ એક સરખા છે.તેથી સેમી ફાઇનલમાં પ્રવેશ માટે બંને ટીમો દ્વારા એડીચોટીનું જોર લગાવશે,જે ટીમ મેચમાં હારશે તે ટ્રોફી માંથી બહાર થઇ જશે.
બીજી તરફ ગૃપ Bની શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે તારીખ 12મી નારોજ રમાનાર મેચમાં પણ જે વિજેતા બનશે તે સેમી ફાઇનલમાં પ્રવેશશે તેમ જાણવા મળ્યુ છે.
Next Story