રાજકોટ : અમરનાથ વોટરપાર્કના કર્મચારીઓએ ગ્રાહકોને માર્યો માર, સમગ્ર મામલના વિડીયો થયા વાઈરલ

New Update
રાજકોટ : અમરનાથ વોટરપાર્કના કર્મચારીઓએ ગ્રાહકોને માર્યો માર, સમગ્ર મામલના વિડીયો થયા વાઈરલ

રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ અમરનાથ વોટરપાર્કમા બે દિવસ પુર્વે મારા મારીની ઘટના સામે આવી હતી. જે મામલાના વિડીયો હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યા છે.

આ મામલે કનેકટ ગુજરાતની ટીમે લિમડી ડિ.વાય.એસ.પી ડિ.વી બસીયા સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. જે ટેલિફોનીક વાતચીતમાંં ડિ.વી.બસીયાએ જણાવ્યું હતું કે, હાલ સોશીયલ મિડીયામા જે વિડીયો વાઈરલ થયો છે, તે બે દિવસ પુર્વેનો છે. આ મામલે જે લોકોને માર મારવામા આવી રહ્યો છે. તેમજ હાલમાં વોટરપાર્કના સંચાલકો સહિત બંન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થવા પામ્યુ છે. જેથી બંન્નેવ પક્ષકારો દ્વારા ફરિયાદ ન કરવા માટે પોલીસને લેખીતમાંં રજુઆત આપવામા આવી છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.