રાહુલ, સોનિયા અને મનમોહનસિંહની અટકાયત કર્યા બાદ કરાયા મુક્ત
BY Connect Gujarat6 May 2016 8:24 AM GMT
X
Connect Gujarat6 May 2016 8:24 AM GMT
કોંગ્રેસ પક્ષની લોકતંત્ર બચાવો રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પક્ષ ભાજપની કથિત એન્ટી ડેમોક્રેટિક પોલીસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ રેલી પહેલા નરેન્દ્ર મોદી પર આક્ષેપો કર્યા હતા.એનડીએ સરકાર અને વિપક્ષ વચ્ચે હેલીકોપ્ટર કૌભાંડ સહીત વિવિધ મામલે થઇ રહેલી ટક્કર વચ્ચે લોકતંત્ર બચાવો રેલી જંતરમંતરથી શરૂ કરવામાં આવી હતી.કોંગ્રેસનો આરોપ છે કે તાજેતરના મહિનામાં BJPએ કોંગ્રેસની સરકાર ધરાવતા બે રાજ્યો અરૂણાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં સરકાર અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે.
Next Story