રીમા લાગુના અવસાન થી ગુજરાતી ફિલ્મ કલાકારો દિગ્દર્શકો પણ શોકમગ્ન
BY Connect Gujarat18 May 2017 8:49 AM GMT
X
Connect Gujarat18 May 2017 8:49 AM GMT
બોલીવુડ તેમજ નાના પડદે અભિનયના ઓઝસ પાથરીને ખુબ મોટો ચાહક વર્ગ ધરાવતા રીમા લાગુના નિધનના પગલે ફિલ્મજગતમાં તેમની મોટી ખોટ વર્તાશે, ત્યારે ગુજરાતી ફિલ્મના કલાકરો તેમજ દિગ્દર્શકોમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રીમા લાગુના દુઃખદ અવસાન અંગે ફિલ્મ લેખક અને દિગ્દર્શક વિપુલ શર્માએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે હિન્દી ફિલ્મ જગતમાં નિરુપા રોય પછી ફિલ્મક્ષેત્રમાં આઇકોનિક માતાનો ચહેરો હોય તો તે રીમાજી હતા. એમનો વાત્સલ્યભર્યો ચહેરો અને ભાવ વાહી અવાજ સદાય આપણી વચ્ચે રહેશે.ફિલ્મોની સાથે એમની શ્રીમાન શ્રીમતી સિરિયલ પણ સદાય યાદ રહેશે.
જ્યારે ગુજરાતી ફિલ્મના અભિનેતા તુષાર સાધુએ પણ રીમા લાગુજી ના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતુ અને તેઓની ગેરહાજરી સદાય ફિલ્મજગતને રહેશે તેવી લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
Next Story