વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીના અમલ માટે કાર્યવાહી શરૂ

New Update
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીના અમલ માટે કાર્યવાહી શરૂ

સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીના અમલ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કાર્યવાહી દરમિયાન નાના-મોટા ચાલતા ૫૦૦૦ જેટલા ટ્યુશન ક્લાસો હોવાનું બહાર આવ્યું હતું. જે પૈકી ૧૬૦૦ ટ્યુશન ક્લાસ સંચાલકોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. માટે અરજી કરી છે.

ફાયર બ્રિગેડના વગદાર સુત્રોમાંથી મળેલી સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની બનેલી ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો, શોપિંગ મોલ, કોમર્શિયલ બિલ્ડીંગો વિગેરમાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. અને નોટિસો આપવામાં આવી હતી. તપાસ દરમિયાન વડોદરામાં ૫૦૦૦ જેટલા નાના-મોટા ટ્યુશન ક્લાસો હોવાનું જણાઇ આવ્યું છે. જે પૈકી ૮૦ ટકા ટ્યુશન ક્લાસો ઘરમાં ચાલતા હોવાની ચોંકાવનારી વિગતો ધ્યાનમાં આવી છે.

ફાયર બ્રિગેડની કાર્યવાહી બાદ ૧૬૦૦ જેટલા ટ્યુશન ક્લાસ સંચાલકોએ ફાયર સેફ્ટીની એન.ઓ.સી. માટે અરજી કરી હતી. જે પૈકી ૨૫૦ જેટલા ટ્યુશન ક્લાસ સંચાલકોને એન.ઓ.સી. આપી દેવામાં આવી છે. ૧૬૦૦ અરજદારોમાં પણ મોટા ભાગના મોટા ટ્યુશન ક્લાસ સંચાલકો ઘરમાંજ ટ્યુશન ક્લાસ ચલાવતા હોવાથી એન.ઓ.સી. આપવામાં આવી નથી. જે બાબતે કોર્પોરેશન પાસે અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

સોસાયટી-પોળ વિસ્તારમાં ઘરોમાં ચાલતા ટ્યુશન ક્લાસો અંગે અનેક નનામી અરજીઓ આવી છે. જે અરજીઓ અંતર્ગત ફાયર બ્રિગેડ દ્વારા તપાસ પણ કરવામાં આવે છે. પરંતુ, કેટલાંક ઘરમાં ચાલતા ટ્યુશન ક્લાસના સંચાલકોનું ગુજરાન ટ્યુશન ક્લાસ પર ચાલતું હોવાનું જણાઇ આવ્યું છે. એ તો ઠીક એક રૂમ-રસોડાના મકાનમાં પણ ટ્યુશન ક્લાસ ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ ક્લાસો સામે શું કાર્યવાહી કરવી તે પણ એક પ્રશ્ન છે. છતાં, ફાયર બ્રિગેડ દ્વારા તેઓને નોટિસો આપીને પોતાની કામગીરી પૂરી કરે છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.