સવર્ણ આરક્ષણ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, 1 જ સપ્તાહમાં મળવા લાગશે લાભ

New Update
દેશવાસીઓને 71માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

ગરીબ સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં 10 ટકા અનામત આપવાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હસ્તાક્ષ કરી દીધા છે. આ સાથે જ આર્થિક રીતે પછાત સવર્ણોને અનામતનો માર્ગ મોકળો બન્યો છે. એક સપ્તાની અંદર જ અનામતનો લાભ મળવાનું પણ શરૂ થઈ જશે. સરકારે આ બાબતની અધિસુચના પણ જાહેર કરી દીધી છે.

સામાજીક ન્યાય અને કાયદા મંત્રાલય એક સપ્તાહની અંદર આ કાયદા સાથે સંકળાયેલી જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.ઉલ્લેખનીય છે કે, સામાન્ય વર્ગના આર્થિક રૂપે પછાત લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર નરેન્દ્ર મોદીની કેબિનેટે 7 જાન્યુઆરીએ મંજૂરીની મ્હોર મારી હતી. ત્યાર બાદ 8 જાન્યુઆરીએ સંવિધાન સંશોધન બિલને લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. તે જ દિવસે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. આ બિલના સમર્થનમાં 323 મત પડ્યાં હતાં જ્યારે વિરોધમાં 3 મત મળ્યા હતા॰

9 જાન્યુઆરીએ આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું. તેના માટે રાજ્યસભાની બેઠકને એક દિવસ માટે વધારવામાં આવી. રાજ્યસભામાં પણ આ બિલ પર લાંબી ચર્ચા થઈએ અને તે જ દિવસે આ બિલને સદનમાં મંજુરી આપવામાં આવી. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 165 મત પડ્યાં હતાં તો વિરોધમાં 7 મત મળ્યા હતા. બંને સદનમાં પસાર થઈ ગયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું હતું.

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ્દે આ બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ બિલમાં અગાઉથી લાગુ એસસી, એસટી અને ઓબીસી સમુદાયને મળતી અનામત કરતા અલગ હશે.સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, એક સપ્તાહની અંદર જ ગરીબ સવર્ણોને અનામતની મળવાની શરૂઆત થઈ જશે

Latest Stories