હવે સુરત RTO કચેરી બની કેશલેશ

New Update
હવે સુરત RTO કચેરી બની કેશલેશ

કેશલેશ થતાઓન લાઇન ફ્રી ભરી શકશે

સુરત RTOએ દેશમાં ચાલતી કેશલેશ પ્રદ્ધતિને અપનાવી છે. સુરત RTO કચેરી હવેથી કેશલેશ બની ગઈ છે. RTOમાં રોજ નાના મોટા કામો માટે લોકો આવતા હોય છે ત્યારે RTO ની ફી ભરવા માટે લાઇનમાં કલાકો સુધી ઉભા રહી ફી ભરતા હોય છે. હવે કેશલેશ થતા સુરતીઓ ઓન લાઇન ફી ભરી શકશે.

સુરત RTOને કેશલેશ બનાવવા એક નવી સુવિધા ચાલુ કરી છે. સુરતીઓ માટે RTO કચેરી તરફથી એક અનોખી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત RTO કેશલેશ બનતા કાચુ લાઈસન્સ હોય કે પાકું કે પછી ડુપ્લીકેટ લાઈસન્સ સહિતની તમામ કામગીરીઓ માટે ઓન લાઇન પૈસા ભરી શકાશે.

સુરત સીટીનો વિસ્તાર મોટો હોવાને કારણે તેમજ સુરતમાં વાહનોની સંખ્યા દિવસે દિવસે વધવા ના કારણે RTOમાં રોજ વાહનોના દંડ ,રજિસ્ટ્રેશન તેમજ અન્ય કામો માટે આવતા લોકોને ફી ભરવા માટે સિંગલ વિન્ડો છે. જેને લઈ આવતા લોકોને લાઈનમાં ઉભા રહી પૈસા ભરતા મુશ્કેલીઓ પડે છે અને તેમનો સમય પણ વધુ બગડે છે.જેથી સુરત RTOએ લોકોને રાહત મળે એ હેતુથી આ સુવિધાનો પ્રારંભ કરાયો છે.ગુજરાત રાજ્યના તમામ RTOમાં આ સુવિધા શરૂ થવાની છે.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.

Latest Stories