અંકલેશ્વર:અંદાડા ગામે લુંટ પ્રકરણમાં મુદ્દા માલ સાથે વધુ ૪ ઝડપાયા

New Update
અંકલેશ્વર:અંદાડા ગામે લુંટ પ્રકરણમાં મુદ્દા માલ સાથે વધુ ૪ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ના.પો.અધિ એલ.એ.ઝાલાની સુચનાતેમજ માર્ગદર્શન મુજબ અંકલેશ્વરના અંદાડા ખાતે થયેલ લૂંટના ૧ આરોપી ઝડપાયા બાદ ગુનામાં સંડોવાયેલા અન્ય ૪ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં અંકલેશ્વર પોલીસને સફળતા મળી છે.

પ્રાપ્ત પોલીસ માહિતિ અનુસાર આ લૂંટના ગુનામાં કામે પોલીસે અગાઉ રીયાઝ ઉર્ફે રીજ્જુ ઉર્ફે ભોલુ અબ્દુલરશીદ કરીમ બાલા ઉવ.ર૬ રહે.ભાટવાડ,સનત રાણા હોલની સામે,અંકલેશ્વર શહેર જી.ભરૂચને એલ.સી.બી.ભરૂચ પોલીસે પકડી પાડી તેની પાસે લુંટ કરેલ રોકડા રૂપિયા ૫૫.૪૦૦/- નો મુદામાલ રીકવર કર્યો હતો.ત્યારબાદ વધુ તપાસ દરમ્યાન રૂ ૧૮.૦૦૦/- નો મુદામાલ ભરૂચ ખાતે રહેતી તેની માસી રફીયા અંજીમ અબ્દુલ હમીદ સૈયદ રહે ઉંદાઇ ભરૂચનાઓને આપેલ હોવાનું આરોપીએ જણાવતા સદર મુદ્દામાલ ભરૂચ ખાતેથી રીકવર કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા આ ગુનાની તપાસ ચાલુ હતી.દરમ્યાન આરોપી સહદ સીરાજઉદ્દિન ઇલ્મુદ્ધિન શેખ ઉવ.૨૦ રહે. લીમડા ફળિયુ દઢેદા ગામ તા-જગડીયા જી-ભરૂચ તથા ઇરફાન અયુબ યાસીન શેખ ઉવ.રર રહે. મસ્જીદ ફળિયુ દઢેદા ગામ તા-જગડીયા જી-ભરૂચની પુછ-પરછ દરમ્યાન આ કામના આરોપી સહદ સિરાજુદ્દીન શેખનાએ આ કામના આરોપી અર્શ અર્શુદીનને આ લુંટ કરવા માટે બોલાવેલ ત્યારબાદ આ કામના આરોપીઓ સહદ સિરાજ્દ્દીન શેખ,ઇરફાન એયુબ યાસીન શેખ બંને રહે. મસ્જીદ ફળીયુ દઢેડા તા,ઝગડીયા, અર્શુદ્દિન ઉર્ફે અર્શ કરીમંઉદ્દિન ઇલ્મુદ્રિન સૈયદ તથા અફ્જલ ગુરૂમીયા ખ્વાજા સાહેબ કુરેશીને અટક કરવામાં આવ્યા છે અને આ કામના આરોપીઓ પૈકી આરોપી અર્શુદ્દરિન પાસેથી રૂપિયા ૧.૯૨.૯૦૦/-તથા આરોપી- અફજલ પાસેથી રૂપિયા૧,૫૦.૦૦૦/- મળી કુલ રૂ.૪.૧૬.૩૦૦/- નો લુટ માં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કર્યો હતો.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories