અંકલેશ્વરનાં ભાદી ગામે ઘાસનાં જથ્થામાં આગ થી નાશભાગ મચી

New Update
અંકલેશ્વરનાં ભાદી ગામે ઘાસનાં જથ્થામાં આગ થી નાશભાગ મચી

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામે પશુઓ માટે સ્ટોર કરેલ ઘાસનાં જથ્થામાં કોઈક કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વરનાં ભાદી ગામે રહેતા ઝુબેર પટેલે તેમના પશુઓ માટે જુવારની કડબનો મોટો જથ્થો ગામની સ્કૂલ પાસે રાખ્યો હતો. જેમાં અચાનક કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.

જોકે ગ્રામજનો દોડી જઈ પાણીનો છંટકાવ કર્યો હતો પરંતુ સૂકી કડબ હોવાના કારણે આગ બાજુમાં આવેલ જથ્થામાં ફેલાય જતા પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, અને 2 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવી આગ પર પાણીનો છંટકાવ કરીને કાબુ મેળવ્યો હતો.

Latest Stories