અંકલેશ્વરમાં વરસાદી પાણી સાથે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળતા લોકોને હાલાકી

New Update
અંકલેશ્વરમાં વરસાદી પાણી સાથે ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળતા લોકોને હાલાકી

અંકલેશ્વરમાં વરસેલા વરસાદમાં કેટલાક ઉદ્યોગોએ વહેતા પાણીમાં પ્રદુષિત પાણી છોડી દેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ સૌરમ્ય સોસાયટીમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા, જોકે વરસાદી પાણીની સાથે ઉદ્યોગનું પ્રદુષિત પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલે વરસાદ દરમિયાન ઉદ્યોગો દ્વારા જરૂરી કાળજી રાખીને પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે ન ભળે તેવી અપીલ ઉદ્યોગકારોને કરી હતી.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories