અમરેલી : માનવભક્ષી દિપડાને બગસરાની ગૌશાળામાં ઠાર મરાયો

New Update
અમરેલી :  માનવભક્ષી દિપડાને બગસરાની ગૌશાળામાં ઠાર મરાયો

અમરેલીના

બગસરા પંથકમાં માનવભક્ષી દિપડાઓએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વન વિભાગની ટીમને એક

મોટી સફળતા હાથ લાગી છે. બગસરાની ગૌશાળામાં આવેલાં માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં

આવ્યો છે. 

અમરેલી

જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડાઓના માનવીઓ પરના હુમલાના બનાવો વધી

ગયાં હતાં. દીપડાઓ માનવભક્ષી બની જતાં લોકોનું ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની

ગયું હતું. દિવસ અને રાત્રિના સમયે ખેડૂતો ખેતરોમાં જતાં ગભરાઇ રહયાં હતાં. ખેતી

માટે ખેડૂતોને ખેતરમાં ખાસ પ્રકારના પાંજરા બનાવવાની ફરજ પડી હતી. દીપડાથી બચવા

માટે ખેડુતો પોતાની જાતને પાંજરામાં કેદ કરી દેતા જયારે માનવભક્ષી દીપડાઓ મુકતપણે

વિચરણ કરતાં હતાં. માનવભક્ષી દિપડાઓને ઝડપી પાડવા માટે વન વિભાગની 100થી વધુ ટીમો કામે લાગી હતી અને 30થી વધારે સ્થળોએ પિંજરા મુકવામાં આવ્યાં

હતાં. બે દિવસ પહેલા કાગદડી ગામેથી એક દીપડી પાંજરે પુરાઇ હતી પણ પંથકમાં બે કરતાં

વધારે નરભક્ષી દીપડા હોવાથી વન વિભાગની ટીમે કાર્યવાહી ચાલુ રાખી હતી. દરમિયાન

બગસરામાં આવેલી ગૌશાળમાં આવેલાં એક દીપડાને ઠાર મારવામાં સફળતા મળી છે. અત્રે

ઉલ્લેખનીય છે કે, દીપડાઓ વધુ

માનવીઓનો ભોગ લે તે પહેલાં તેમને ઠાર મારવાનો આદેશ સરકારે આપ્યો છે. ઠાર મારવામાં

આવેલાં દીપડાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.