જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું નિધન

New Update
જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું નિધન

બપોરે 3 કલાકે થશે અંતિમ વિધિ

જૈન મુનિ અને રાષ્ટ્રીય સંત તરૂણ સાગર મહારાજનું 51 વર્ષની વયે કાળઘર્મ પામ્યાં છે. તેમનું નિધન આજે સવારે 3.30 કલાકે થયું છે. આજે બપોરે 3 કલાકે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

છેલ્લા 20 દિવસથી તેઓ કમળાની બીમારીથી પીડાતા હતાં. તેમને જેના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં હતાં. જૈન મુનિ તેમના ''કડવા વચનો'' માટે ખુબ જ જાણીતા હતાં.

તરૂણ સાગરે છત્તીસગઢમાં દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું મૂળ નામ પવન કુમાર જૈન હતુ. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન 1967માં થયો હતો. તેમની માતાનું નામ શાંતિબાઈ અને પિતાનું નામ પ્રતાપચંદ્ર જૈન હતુ. ત્યાર બાદ તેમણે 8 માર્ચ 1981માં ઘરનો ત્યાગ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે છત્તીસગઢમાં દિક્ષાગ્રહણ કરી હતી.

તેમને 20 દિવસથી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાંના ડોકટરોએ જણાવ્યું હતું કે, તેમની તબીયતમાં સુધારો આવતો નથી. મુનિશ્રીની સારસંભાળ રાખનાર બ્રહ્મચારી સતીશજીના જણાવ્યા મુજબ મુનિશ્રીએ હવે ઉપચાર કરાવવાની ના પાડી દીધી હતી. અને તેઓ તેમના અનુયાયીઓ સાથે દિલ્હી સ્થિત રાધાપુરી જૈન દેરાસર ચાતુર્માસ સ્થળે પરત આવી ગયા હતાં.

દિલ્હી જૈન સમાજના અધ્યક્ષ ચક્રેશ જૈને જણાવ્યું હતુ કે મુનિશ્રી તરૂણ સાગરજી મ.સા.એ પોતાના ગુરૂ પુષ્પદંત સાગરની આજ્ઞા બાદ સંલેખના કરી રહ્યા હતાં. જયારે પૂ.પુષ્પદંત મ.સા.એ પણ એક વીડિયો જાહેર કરી જણાવેલ કે પૂ.તરૂણ સાગરજીની હાલત ગંભીર છે. ગુરૂદેવે આ અંગે એક પત્ર પણ લખ્યો હતો. જેમાં મુનિ સૌરભ સાગર અને મુનિ અરૂણ સાગરને દિલ્હી પહોંચી સમાધીમાં સહયોગ આપવા જણાવ્યું હતું

Latest Stories