ઝગડીયાના કાકલપુર ગામે સરકારી ગ્રાન્ટના મુદ્દે મારામારી
BY Connect Gujarat6 Jun 2016 1:52 PM GMT
X
Connect Gujarat6 Jun 2016 1:52 PM GMT
બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ દર્જ કરાવી
ઝગડિયા તાલુકાના કાકલપુર ગામે સરસાડ ગામની પાણીના બોર અંગે મંજુર થયેલ ગ્રાન્ટ બાબતે બોલાચાલી થતા એક યુવાનને ઢોર મારમારવામાં આવ્યો હતો. જોકે સર્જાયેલી ઘટનામાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે.
ઝગડિયા તાલુકાનાં સરસાડ ગામના જયદિપસિંહ કિરીટસિંહ મહીડાનો કાકલપોર ગામના નર્મદા આશ્રમથી સરસાડ જતા હતા, તે અરસામાં કાકલપુર ગામના સરપંચ ભાઈલાલ મોહન વસાવા નાઓ સાથે સરસાડ ગામે સરકારી ગ્રાન્ટ માંથી મંજુર થયેલ પાણીના બોર બાબતે બોલાચાલી થઇ હતી અને જયદિપસિંહને ઢોર મારમારવામાં આવ્યો હતો. જયદિપસિંહ સરસાડનાં ભાજપ યુવા મોરચાના કાર્યકર હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઘટનામાં બંને પક્ષે છ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજપીપળા તેમજ ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. બનાવમાં ઉમલ્લા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને 14 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દર્જ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Next Story