Connect Gujarat
ગુજરાત

ઝઘડીયાનાં ખર્ચી ગામ પાસે બાઈક અને ઓટોરિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

ઝઘડીયાનાં ખર્ચી ગામ પાસે બાઈક અને ઓટોરિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
X

અંકલેશ્વર તાલુકાનાં ઉચ્છાલી અને ખર્ચી ગામ વચ્ચે બાઈક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક તેમજ રિક્ષામાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.જાણવા મળ્યા મુજબ આ ઘટનામાં એક યુવતી સહિત બેનાં મોત નિપજ્યા હતા.અંકલેશ્વરનાં સારંગુપુર ગામ ખાતે રહેતા રિક્ષા ચાલક વિનોદ સુરેશભાઈ સોલંકી પોતાની રિક્ષામાં મુસાફરોને બેસાડીને ઝઘડિયાનાં ગુમાનદેવ ખાતે દર્શન અર્થે જતા હતા, ત્યારે ઉચ્છાલી અને ખર્ચી ગામ વચ્ચે એક રોંગ સાઈડ બાઈક લઈને પસાર થતાં બાઈક સવારે રિક્ષામાં બાઈક ધડાકાભેર અથાડતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરો અને બાઈક પર સવાર બે યુવકો સહિત પાંચ થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, તમામને સારવાર અર્થે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા આવ્યા હતા.જોકે બાઈક સવાર જયેશ રણજીત વસાવા અને રિક્ષામાં સવાર સપના મનહરભાઈ વસાવા ઉ.વ. ૧૫ રહે નવા દિવા, અંકલેશ્વરના ઓ ના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે બાઈક સવાર અંકિત વસાવા તેમજ અન્ય એક અને ઉર્મિલાબેન ખુશાલભાઈ વસાવા, સુમનબેન રાજેશભાઈ વસાવાને ગંભીર ઈજાઓનાં પગલે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.

Next Story