દેવભૂમિ દ્વારકા : જીવના જોખમે કોઝ-વે પસાર કરતાં 3 લોકો ડૂબ્યા, કારચાલક પણ ફસાયો પાણીમાં..!

New Update
દેવભૂમિ દ્વારકા : જીવના જોખમે કોઝ-વે પસાર કરતાં 3 લોકો ડૂબ્યા, કારચાલક પણ ફસાયો પાણીમાં..!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં ઘોડાપુર આવતા કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે, ત્યારે જીવના જોખમે કોઝ-વે પસાર કરતો ફોર વ્હીલરનો ચાલક પાણીમાં જોખમ લેતા અટવાયો હતો, જ્યારે 3 લોકો પાણીના પ્રવાહમાં ડૂબતાં 2 લોકોનું મોત નીપજ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના હડમતીય નજીક આવેલ ભંગ નદીમાં વરસાદના કારણે પાણીની ભારે આવક થતાં નદી ગાંડિતુર બની છે. જોકે નદી ઉપર બનાવવામાં આવેલ કોઝ-વે પર ધસમસતા પાણીના પ્રવાહમાં પણ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા હતા. જેમાં સ્થાનિકોએ રસ્તો પસાર કરવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો, જ્યારે બાઇકચાલકો પણ જોખમી રીતે રસ્તો પસાર કરતાં નજરે પડ્યા હતા. ઉપરાંત એક ફોર વ્હીલર કારનો ચાલક કોઝ-વેના પાણીમાં જોખમ લેતા અટવાઈ પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ચેકડેમો અને કોઝ-વે પાણીથી છલોછલ થયા છે, ત્યારે ખંભાળીયા નજીક કોઝ-વે પરથી પસાર થતાં માલેતાના 3 લોકો પાણીમાં તણાયા હતા. ઘટનામાં 3 પૈકી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી

Read the Next Article

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કર્યા નિયુક્ત

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું.

New Update
aiff

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું. 13 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીયને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય અને હાલમાં ઇન્ડિયન સુપર લીગ ટીમ જમશેદપુર FCના મેનેજર 48 વર્ષીય જમીલને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ત્રણ સભ્યોની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અન્ય બે દાવેદારોમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્ટેફન ટારકોવિક હતા. સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા.

મહાન સ્ટ્રાઈકર IM વિજયનના નેતૃત્વ હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ એક્ઝિક્યુટિવ કમિટીના અંતિમ નિર્ણય માટે ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જમીલ સ્પેનના મનોલો માર્કેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના સંઘર્ષો પછી ગયા મહિને AIFFથી અલગ થઈ ગયા હતા. રાષ્ટ્રીય પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા છેલ્લા ભારતીય સેવિયો મેડેઇરા હતા, જેમણે 2011 થી 2012 સુધી આ પદ સંભાળ્યું હતું. નવી ભૂમિકામાં જમીલનું પહેલું કાર્ય સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે 29 ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં રમાશે.

કુવૈતમાં જન્મેલા 49 વર્ષીય ખાલિદ જમીલે ખેલાડી તરીકે (2005માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (2017માં આઈઝોલ એફસી સાથે) ભારતના ટોચના ડિવિઝન ટાઇટલ જીત્યા છે. તેમણે સતત બે વર્ષ (2023-24, 2024-25) માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. હવે એ જોવું રોમાંચક રહેશે કે તેઓ ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કેટલું સારું કામ કરે છે. તેઓ ઇન્ડિયન સુપર લીગના પ્રથમ કોચ પણ છે. 

Latest Stories