પંચમહાલ : પાનમ ડેમના પાણી ભયજનક સપાટીએ પહોચતા ચાર દરવાજા ખોલાયા

New Update
પંચમહાલ : પાનમ ડેમના પાણી ભયજનક સપાટીએ પહોચતા ચાર દરવાજા ખોલાયા

પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં સારો એવો વધારો નોંધાવાને કારણે ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે.ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. હાલ ૯૫ ટકા જેટલો ભરાઈ ગયો છે.તેને કારણે હાલ પાનમ ડેમની જળ સપાટી ૧૨૭.૩૫ મીટર નોધાઈ છે.

Advertisment

હાલમાં પાનમ ડેમમાં પાણીની આવકને કારણે ભયજનક સપાટીએ પહોંચ્યું છે.જેને કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વહેલી સવારે ડેમના ત્રણ દરવાજા બાદમાં વધુ એક દરવાજો મળી કુલ ચાર દરવાજાઓ ખોલીને ડેમમાંથી પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. અને પાનમ કેનાલમાં પણ છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. અને ડેમમાં હાલ પાણીના આવકને કારણે સપાટી ૧૨૭.૩૫ મીટરે પહોંચી હોવાને કારણે ડેમમાંથી ૧૮૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમમાંથી પાણી છોડવાને કારણે પાનમ નદીના કાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારો લને એલર્ટ કરવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

Advertisment
Read the Next Article

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે

New Update
aaagagahi

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

Advertisment

જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

Advertisment
Latest Stories